તમારી સત્તાની ભૂખે લાખોને અનાજનાં એક દાણામાં તરસાવી દીધા રાહુલ ગાંધીનું ટવીટ
તમે છતા કઇ ન કર્યુ, બસ રોજ નવા જુમલા આપ્યા: ભૂખમરા અંગેનાં સમાચાર શેર કરતા રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર
નવી દિલ્હી : કોરોના મહામારીનાં સંકટની વચ્ચે ભૂખમરા અંગેનાં સમાચાર શેર કરતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, તમારી સત્તાની ભૂખે લાખોને અનાજનાં એક દાણામાં તરસાવી દીધા- તમે છતા કઇ ન કર્યુ, બસ રોજ નવા જુમલા આપ્યા
રાહુલ ગાંધીએ એક સમાચાર શેર કરતી વખતે આ ટ્વીટ કર્યું છે.આ સમાચારમાં લખ્યું છે કે, કોરોનાનાં કારણેે મધ્યમવર્ગીય રાશનની લાઇનમાં ઉભા રહેવા મજબૂર થઇ ગયો છે. છેલ્લા આઠ મહિનામાં 23 કરોડ લોકોની દૈનિક આવક રૂ. 375 ની નીચે આવી ગઈ છે, એમ આ સમાચારમાં કહેવામાં આવ્યું છે.
છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી, કોરોના વાયરસનાં સંક્રમણથી દેશમાં સામાન્ય જનતાને મોટી તકલીફો પડી રહી છે. દરમ્યાન, દેશનાં લોકોને વાયરસ સંક્રમણથી બચાવવા માટે સરકાર લોકડાઉન અને રસીકરણ જેવા અભિયાન ચલાવી રહી છે અને તમામ પ્રકારનાં માર્ગદર્શિકા જારી કરી રહી છે. આ તમામ પ્રતિબંધોને લીધે, મોંઘવારી અને બેકારી દેશમાં દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે