News of Monday, 19th July 2021
ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત : ચાર લોકો લાપતા
માંડો ગામમાં મોડીરાત્રે વાદળ ફાટવાની ઘટનાથી રાહત બચાવ કામગીરી : એસડીઆરએફની ટીમ પણ જોડાઈ
ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા છે તથા રાહત અને બચાવકાર્ય એસડીઆરએફની ટીમ પણ લાગી છે.
SDRF ના ઈન્સ્પેક્ટર જગદંબા પ્રસાદે જણાવ્યું કે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના માંડો ગામમાં ગઈ કાલે મોડી રાતે વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ચાર લોકો લાપત્તા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બચાવ અને રાહ્ત કાર્યમાં તેજી લાવવાના આદેશ આપ્યા છે.
(11:31 am IST)