ઉત્તરકાશીનાં માંડો ગામમાં વાદળ ફાટયું : ત્રણ લોકોના મોત
દેહરાદુન,તા. ૧૯ :ઉત્તરાખંડના ઉત્તરકાશીના માંડો ગામમાં રવિવારે રાતે વાદળ ફાટ્યું છે. આ ઘટનામાં ૩ લોકોના મોત થયા છે તો કુલ ૪ લોકો ગુમ થયા છે. ગામના લોકોની મદદ માટે પ્રશાસનનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર માંડો ગામમાં વાદળ ફાયવાની ઘટનાના કાકણએ ગુમ થયેલા લોકોમાં ૨ મહિલાઓ, ૧ બાળક અને ૧ પુરૂષ સામેલ છે. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ તરત જ રેસ્ક્યૂ ઓપરેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને લોકોને બહાર કાઢવાની કોશિશમાં લાગી છે.
પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ચોમાસાની સીઝનમાં નદીઓ ઉચ્ચ સ્તરે રહે છે. નદીનું જળસ્તર અનેક ફીટ સુધી વધે છે. ઉત્તરાખંડમાં થોડા સમયથી વાદળ ફાટવાની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનામાં ૩ લોકોના મોતની સાથે ૪ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે.