News of Thursday, 19th July 2018
મધ્યપ્રદેશમાં ઉમાભારતી, દિગ્વિજયસિંહ સહિતનાએ બંગલા ખાલી કરવા પડશે
ઉત્તર પ્રદેશ પછી હવે મધ્યપ્રદેશમાં પણ પૂર્વ મુખ્યમંત્રીઓ ઘ્વારા સરકારી બંગલા ખાલી કરવા પડશે. હાઇકોર્ટ આદેશ પછી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂર્વ મુખ્યમંત્રીઓના બંગલાની ફાળવણી રદ કરી દીધી છે.
શિવરાજ સિંહ ચૌહાણ સરકારના આ નિર્ણય પછી ઉમા ભારતી, દિગ્વિજય સિંહ, બાબુલાલ ગોર, અને કૈલાશ જોશીએ પોતાના બંગલા ખાલી કરવા પડશે. હાઇકોર્ટ ઘ્વારા નિયમ અસંવિધાનિક જણાવ્યો છે .
(8:52 pm IST)