મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

આઝાદી પહેલા ૭૭૮ મુસાફરોને લઇને ડૂબ્યું હતું મુંબઇનું ટાઇટેનિક 'રામદાસ'

ભારતના દરિયાઇ ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના બહાર આવી

મુંબઈ તા. ૧૯ : ભારતની આઝાદી પહેલા ૧૭મી જુલાઈ ૧૯૪૭ના સવારે ૮ વાગ્યે એસ. એસ. રામદાસે મુંબઈના પ્રખ્યાત ભાઉ ચા ઢાકાથી અલીબાગ પાસે આવેલા રેવાસ જવા માટે સફરની શરૂઆત કરી હતી.

જહાજ મુંબઈથી લગભગ ૧૩ કિલોમીટર દૂર પહોંચ્યું હશે. ત્યાં જ ભારે વરસાદ-વંટોળ વચ્ચે રામદાસ એક વિશાળ મોજા સાથે ટકરાયું અને આડું થઈ ગયું. ભારતના દરિયાઈ ઇતિહાસની આ સૌથી મોટી દૂર્ઘટના હતી અને હાલ પણ છે. તેમાં ૭૭૮ લોકો ડૂબી ગયા હતા.

(4:12 pm IST)