News of Thursday, 19th July 2018
આઝાદી પહેલા ૭૭૮ મુસાફરોને લઇને ડૂબ્યું હતું મુંબઇનું ટાઇટેનિક 'રામદાસ'
ભારતના દરિયાઇ ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના બહાર આવી
મુંબઈ તા. ૧૯ : ભારતની આઝાદી પહેલા ૧૭મી જુલાઈ ૧૯૪૭ના સવારે ૮ વાગ્યે એસ. એસ. રામદાસે મુંબઈના પ્રખ્યાત ભાઉ ચા ઢાકાથી અલીબાગ પાસે આવેલા રેવાસ જવા માટે સફરની શરૂઆત કરી હતી.
જહાજ મુંબઈથી લગભગ ૧૩ કિલોમીટર દૂર પહોંચ્યું હશે. ત્યાં જ ભારે વરસાદ-વંટોળ વચ્ચે રામદાસ એક વિશાળ મોજા સાથે ટકરાયું અને આડું થઈ ગયું. ભારતના દરિયાઈ ઇતિહાસની આ સૌથી મોટી દૂર્ઘટના હતી અને હાલ પણ છે. તેમાં ૭૭૮ લોકો ડૂબી ગયા હતા.
(4:12 pm IST)