News of Thursday, 19th July 2018
તબેલાને લાગશે તાળા : લોન ડિફોલ્ટરને દેશમાંથી ભાગતા રોકવા સરકારે બનાવી સમિતિ: સુચવશે ઉપાયો
નવી દિલ્હી :બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ખેલાડીઓ વિદેશ ભાગી ગયા બાદ સરકાર સફાળી જાગી છે ભારત સરકાર બેંકોનું દેવુ ના ચુકવનારા લોકોને દેશની બહાર જતા રોકવા માટે ફાઇનાન્શિયલ સર્વિસ સેક્રેટરી રાજીવ કુમારની આગેવાનીમાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે
આ સમિતિ ડિફૉલ્ટરોને દેશમાંથી ભાગતા અટકાવવાનાં ઉપાયો આપશે અને તાજેતરમાં રહેલા કાયદાઓમાં બદલાવ પણ કરશે. આ કમિટી એવા વ્યાપારીઓ પર ખાસ નજર રાખશે કે જેમની પાસે અન્ય દેશની નાગરિકતા પણ છે.
(12:00 am IST)