News of Thursday, 19th July 2018
હવે વિશેષ પૂજા વખતે પણ ભક્તો તિરુપતિ બાલાજીના કરી શકશે દર્શન:પ્રતિબંધ નાબૂદ
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે નિર્ણય પાછો ખેંચ્યો
તિરુમાલા પર્વત પર ભગવાન વેંકટેશ્વરના વિશ્વ વિખ્યાત મંદિરના મેનેજમેંટ દ્વારા 12 વર્ષમાં એક વખત થતી વિશેષ પૂજા માટે 11 ઓગસ્ટથી 6 દિવસ માટે મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડે આ નિર્ણય પાછો ખેંચ્યો છે. હવે થોડા હજાર શ્રદ્ધાળુઓને આ દિવસો દરમિયાન મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
(12:00 am IST)