મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

સાંજે પૂ.મોરારીબાપુના વ્યાસાસને ઉત્તરાખંડ -દેવપ્રયાગમાં ઓનલાઇન શ્રીરામકથાનો પ્રારંભ

રાજકોટ,તા. ૧૯: પૂણ્યસલિલા અલકનંદા તથા ભાગીરથી નદીઓના સંગમસ્થળ તેમજ જગતતારિણી મા ગંગાની જન્મભૂમિ, પંચપ્રયાગમાંના એક દેવપ્રયાગમાં કોરોના નિયમોના સંપૂર્ણ પાલન સાથે, સિમિત સંખ્યામાં પૂર્વ આમંત્રિત શ્રોતાઓ સાથે આયોજિત મોરારીબાપુની ૮૬૧ મી રામકથા પતંજલિ સેવાશ્રમ દેવપ્રયાગ (ઉત્તરાખંડ) ખાતે આજે શનિવારે સાંજે ૪ થી ૬ અને એ પછી રોજ નિયમિત સમય સવારના ૧૦ થી ૧ સુધી શરૂ થશે.

ઓનલાઇન કથાનું જીવંત પ્રસારણ યુટયુબ ચેનલ તેમજ આસ્થા ટીવી પર નિહાળી શકાશે.

(10:21 am IST)