NSUIની જાહેરાત: દિલ્હી યુનિ,માં એડમિશન લેનારા શહીદ જવાનોના બાળકોની ફી ભરશે
આત્માહત્યા કરનારા ખેડૂતોનાં બળકોની પણ ફી ભરશે
કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનો બુધવારે 49મો જન્મદિવસ હતો. ત્યારે આ અવસરે કોંગ્રેસના વિદ્યાર્થી એકમ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છેકે, સંગઠન સેના, સુરક્ષા બળ, અર્ધ સુરક્ષા બળમાં શહીદ થયેલાં જવાનો અને આત્મહત્યા કરવાવાળા ખેડૂતોના બાળકોની એક વર્ષની ફી ભરશે.
NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન અને દિલ્હી પ્રેસિડેન્ટ અક્ષય લાકડાએ જાહેરાત કરી હતી. અક્ષય લાકડાએ તેની જાહેરાત કરી હતી.
અક્ષય લાકડાએ કહ્યુ કે, પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના જનમદિવસના અવસરે અમે લોકોએ આ નિર્ણય કર્યો છે. NSUI દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લેવા જઈ રહેલાં શહીદ થયેલાં જવાનોના પરિવારના બાળકોની એક વર્ષની ફી ભરશે. એટલું જ નહી NSUI લોન ન ચૂકવી શકવાને કારણે આત્મહત્યા કરનારા ખેડૂતોનાં બળકોની પણ ફી ભરશે.