મુખ્ય સમાચાર
News of Wednesday, 19th June 2019

રાહુલ ગાંધી પોતાનો જન્મદિવસ ભવ્ય રીતે નહિ ઉજવે બિહારમાં તાવથી થતા મોતથી ભારે દુઃખી : લીધો નિર્ણંય

માત્ર પાર્ટી કાર્યકર્તાઓ અને બાળકો સાથે મુલાકાત કરશે.

નવી દિલ્હી : બિહારમાં ચમકી તાવથી થઇ રહેલા મૃત્યુ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધીએ મોટો નિર્ણય લીધો છે.

 રાહુલ ગાંધી આજે એટલે કે બુધવારે પોતાનો જન્મદિવસ ભવ્ય રીતે ઊજવશે નહીં. માત્ર પાર્ટી કાર્યકર્તાઓ અને બાળકો સાથે મુલાકાત કરશે. આજે રાહુલનો 49મો જન્મદિવસ છે.

 રાહુલ ગાંધી કોંગ્રેસ મુખ્યાલય પહોંચી ગયા છે. અહીંયા તેઓ પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. એ દરમિયાન ઘણા પાર્ટી કાર્યકર્તાઓએ રાહુલને અધ્યક્ષ પદથી રાજીનામું ના આપવાની અપીલ કરી. કાર્યકર્તાઓની સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ બાળકોને મળશે.

(12:50 pm IST)