આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડે
આદિત્ય બિરલા સન લાઈફ ફાર્મા એન્ડ હેલ્થકેર ફંડ લોન્ચ કર્યુ
મુંબઇ, તા.૧૯: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની મ્યુચ્યુઅલ ફંડ પાંખ આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડે આદિત્ય બિરલા સન લાઈફ ફાર્મા એન્ડ હેલ્થકેર ફંડ લોન્ચ કર્યું છે, જે ફાર્મા અને હેલ્થકેર સર્વિસ સેકટરમાં રોકાણ કરનારી ઓપન એન્ડેડ ઈકિવટી સ્કીમ છે. આ ફંડ ૨૦મી જૂન, ૨૦૧૯ના રોજ ખુલશે.
ભારતીય ફાર્મા ઉદ્યોગ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ યુએસ ડોલરનો ઉદ્યોગ બની જશે તેવો અંદાજ છે, જેમાં સ્થાનિક ફાર્માની વૃદ્ઘિ વાર્ષિક ૧૦-૧૨% રહેવાની અપેક્ષા છે. ભારતીય ફાર્મા કંપનીઓ જેનેરિક ડ્રગના ઉત્પાદનમાં વૈશ્વિક લીડર્સ છે. ઉલટાનું અમેરિકામાં વેચાતી પ્રત્યેક ૩માંથી ૧ દવા ભારતીય ફાર્મા કંપની દ્વારા પૂરી પાડવામાં આવે છે. બ્રાન્ડેડમાંથી જેનેરિક દવામાં વૈશ્વિક પરિવર્તન ટેઈલવાઈન્ડ તરીકે કામ કરશે અને ભારતીય ફાર્મા માટે નિકાસ બજારને વધુ પ્રોત્સાહન આપશે. શ્નઆયુષ્માન ભારતલૃજેવી યોજનાો મારફત જાહેર આરોગ્ય પર સરકારી ખર્ચ વધતા, સ્વાસ્થ્ય વીમાનો પ્રસાર વધતા, લાંબા જીવનની અપેક્ષા અને સ્વાસ્થ્ય અને સુખાકારી પર ખર્ચમાં વધારા જેવી બાબતો ફંડની વૃદ્ઘિ માટે પ્રોત્સાહક તરીકે કામ કરશે.
આ ફંડના લોન્ચિંગ અંગે ટીપ્પણી કરતાં આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના સીઈઓ એ. બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, આ સેકટર છેલ્લા ૨-૩ વર્ષ સિવાય ૧૦ વર્ષથી વધુ સમયથી ઉત્કૃષ્ટ દેખાવ કરે છે. મજબૂત વળતર માટે સજ્જ આ ક્ષેત્રમાં આકર્ષક બજાર મૂલ્યાંકન અને સંભવિત વૃદ્ઘિ આગામી બજાર સાઈકલમાં રોકાણની તકો આપે છે.
નવી બિઝનેસ સાઈકલ અને ડાયગ્નોસ્ટિકસ, વેલનેસ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ જેવા ઊંચી વૃદ્ઘિની સંભાવના અને નફાકારક નવા ઉદ્યોગો આવવાની સાથે રોકાણની ઉપલબ્ધતાથી આ ક્ષેત્ર પહેલાં કરતાં વધુ વાયબ્રન્ટ થઈ ગયું છે. નવીનતાનો ઉમેરો કરતાં અમે વૈશ્વિક બજારોમાં સંશોધકો, પેટન્ટધારકો અને સ્પેશિયાલિટી ઈન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદકોમાં રોકાણ કરવા પણ સક્ષમ છીએ, તેમ એ. બાલાસુબ્રમણ્યને ઉમેર્યું હતું.