મુખ્ય સમાચાર
News of Tuesday, 19th June 2018

'જા જી લે અપની જિંદગી...' કહી પ્રેમીને સોંપી પોતાની પત્ની

પતિએ પત્નીના પ્રેમી સાથે કરાવ્યા લગ્ન

આગ્રા તા. ૧૯ : નોકરી છોડીને એક પરિણીત શખસ વૈરાગી બની ગયો અને પછી પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા. આ વાંચને તમને કોઈ ફિલ્મની સ્ક્રીપ્ટ લાગી રહી હશે, પરંતુ આ હકીકતમાં બનેલી ઘટના છે. ઝાંસીના એક શખસે સંન્યાસ ધારણ કર્યા બાદ ખુશ થઈને પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા. આ સમગ્ર કાર્ય પોલીસ ઉપસ્થિતિમાં થયું. આટલું જ નહીં સંન્યાસ લઈ ચૂકેલો પતિ બોલિવૂડ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના લોકપ્રિય ડાયલોગની જેમ 'જા જી લે પ્રેમી કે સાથ અપની જિંદગી' બોલીને લગ્ન કરાવ્યા બાદ પાછો ઝાંસી આવી ગયો.

આગ્રાના રહેનારો શખસ પોતાની પત્ની અને તેના પ્રેમી સાથે સોગંદનામું લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો. સંન્યાસ ધારણ કરી ચૂકેલા શખસે પોતાને મંદિરનો એક પૂજારી બતાવ્યો. સોગંદનામામાં લખ્યું હતું તે તેની પત્ની અન્ય કોઈને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરી ચૂકી છે. તેને આ વાતથી કોઈપણ પરેશાની નથી.

પુજારીએ પોલીસની ઉપસ્થિતિમાં પત્નીને કહ્યું કે, જા, જીવી લે તારી જિંદગી, કયારેક મારું મન કરે તો બાળકોનો ચહેરો બતાવી દેજે, બીજું કઈ નથી ઈચ્છતો, જાણકારી મુજબ આ પુજારી પત્નીના પ્રેમીના ઘરે આયોજિત પાર્ટીમાં શામેલ પણ થયો. આ બાદ પાછો ઝાંસી આવી ગયો.

ઝાંસીના રહેનારી મહિલાનો સંન્યાસ ધારણ કરી ચૂકેલા શખસ સે ૮ વર્ષ પહેલા લગ્ન થયા હતા. આ દરમિયાન શખસ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. આ બાદ તેમને બે બાળકો થયા અને પતિની નોકરી છૂટી ગઈ. આર્થિક તંગીના કારણે પત્ની આગરા સ્થિત પોતાની બહેનના ઘરે જતી રહી અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરવા લાગી. આ બાદ તે પાછી ઝાંસી કયારેય ન ગઈ.

બેરોજગાર થઈ ચૂકેલો પતિ વૈરાગ્ય ધારણ કરીને એક મંદિરમાં રહેવા લાગ્યો. બાદમાં તે જ મંદિરમાં પૂજારીનું કામ કરતો હતો. આ દરમિયાન પત્નીના સંબંધ જગદીશપુરા વિસ્તારમાં રહેનારા જૂતાના કારીગર સાથે બંધાયા. આ શખસની પત્ની પણ બે બાળકો સાથે તેને છોડીને જતી રહી હતી. બાદમાં કારીગરે પુજારીની પત્નીને બાળકો સાથે અપનાવી લીધી અને સાથે રહેવા લાગ્યો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પતિએ જ તેની પત્નીના લગ્ન પ્રેમી સાથે સામેથી કરાવી આપ્યા હતા.(૨૧.૪)

 

(10:49 am IST)