ભાવિ સરકાર રાષ્ટ્રીય પક્ષની આગેવાનીમાં જ સ્થિર રહેશે :પ્રાદેશિક પક્ષની સરકાર મજબૂત નહીં હોય : કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલી
ભૂતકાળમાં પણ નાના પક્ષો દ્વારા સરકાર રચાઈ હતી, પરંતુ ત્રીજા મોરચાનો પ્રયોગ નિષ્ફળ રહ્યો છે
નવી દિલ્હી કોંગ્રેસ હાલ કોઈ પણ પક્ષને બહુમતી ન મળે અથવા ગઠબંધનને બહુમતી ન મળે તો મિલીજુલી સકરારને સમર્થન આપવા પર વિચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું છે કે,'કોઈ પણ ભાવી સરકાર એક રાષ્ટ્રીય પક્ષની આગેવાનીમાં જ સ્થિર હશે.' જ્યારે તેમને એવો સવાલ પૂછાયો કે કોંગ્રેસના સમર્થનથી પ્રાદેશિક પક્ષો સરકાર બનાવે તેવી શક્યતા કેટલી ત્યારે તેમણે કહ્યું,'હું આ શક્યતાઓ નકારી નથી રહ્યો, પરંતુ આવી સરકાર મજબૂત સરકાર નહીં હોય. આવી સરકાર સ્થિર નહીં હોય.'
મોઈલીએ કહ્યું છે કે તેઓ રાહુલ ગાંધીની આગેવાનીમાં ગઠબંધનની મદદથી પ્રાદેશિક પક્ષો સાથે સરકાર રચવાની સંભાવના નકારી નથી રહ્યા. પરંતુ આવી સરકાર સ્થિર નહીં હોય. અને લાંબો સમય નહીં ટકી શકે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ નાના પક્ષો દ્વારા સરકાર રચાઈ હતી, પછી તે વીપી સિંહ હોય કે ચરણસિંહ કે ચંદ્રશેખની સરકાર, પરંતુ ત્રીજા મોરચાનો પ્રયોગ નિષ્ફળ રહ્યો છે.