News of Monday, 19th April 2021
બબરાલાની ખાતર બનાવતી કંપનીમાં કોરોનાથી ૨ મોતઃ ૧૨૫ પોઝીટીવ
નવી દિલ્હી, તા. ૧૯ :. દેશમાં ખાતર બનાવતી બબરાલામાં આવેલ મોટી કંપની યારા ફર્ટીલાઈઝરમાં કોરોનાના એક સાથે ૧૨૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે ૨ કર્મચારીના મોત થયા હતા. કંપની દ્વારા કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી ત્યારે પોઝીટીવ કેસ જોવા મળ્યા હતા. જેમા એક કર્મચારી અને બીજા કર્મચારીના પરિવારની યુવતિનું મોત થયુ હતું.
(4:50 pm IST)