હાર્દિક ઉપર ભાજપના શાહ- વાઘાણીના ઇશારે હુમલોઃમોરબીમાં કોઇ માઇનો લાલ સભા રોકી નહિ શકેઃ મનોજ પનારા
રાજકોટ, તા., ૧૯: હાર્દિક પટેલ ઉપર સુરેન્દ્રનગર જીલ્લાના બલદાણા ગામે તરૂણ ગજ્જરનામના વ્યકિતએ હુમલો કરતા ઘેરા પ્રત્યાઘાત પડયા છે. મોરબી પાસના કન્વીનર મનોજ પનારાએ આ હુમલા માટે ભાજપના અમિતભાઇ શાહ અને જીતુ વાઘાણીને જવાબદાર ગણ્યા છે.
મનોજ પનારાએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલની હાઇટ જોઇને ભાજપના લોકો હાર ભાળી ગયા છે. હાર્દિક પટેલની સભાઓમાં જનમેદની ઉમટી પડેછે. જેથી ભાજપમાં ચિંતા પ્રસરી રહી છે. નિતીનભાઇપટેલ એવું કહેતા હતા કે હાર્દિક પટેલ ગોત્યો નહિ જડે પરંતુ હાલ તો નીતીનભાઇ પટેલ ગોત્યાજડતા નથી. મનોજભાઇ પનારાએ વધુમાં જણાવ્યું કેઆ અગાઉ પણ અમિતભાઇ શાહના ઇશારે હાર્દિકની હત્યાના ષડયંત્રો રચાયા હતા. હાર્દિક ઉપર હુમલો થયા બાદ અમો ધારીએ તો ભાજપની એક પણ સભા ન થવા દઇએ. પરંતુ લોકશાહીના ચુંટણી જેવા પર્વમાં ગુજરાતમાં અશાંતી ન ફેલાય તે માટે અમે શાંત છીએ. નહી તો ભાજપના નેતાના કપડા પણ ઉતારી લઇએ. ર૩ મી સાંજે અમે આનો જવાબ આપીશું.
મનોજભાઇ પનારાએ વધુમાં જણાવ્યું કે હાર્દિક પટેલની સાંજે મોરબીમાં સભા યોજાશે જ કોઇ માઇનો લાલ પેદા નથીથયો કે હાર્દિક પટેલની સભા રોકી શકે.