મતદાન જાગૃતિ માટે ગંગાયાત્રા :500 નાવડીઓ ઉતારી ::દરેક બુથમાં કળશયાત્રા
ગંગામાં 500 નાવડીઓ પર દરેક વર્ગના અઢી હજાર લોકો પાસે મતદાન કરવાની અપીલ
નવી દિલ્હી :મતદાન જાગૃકતા માટે મિર્ઝાપુર જિલ્લાધિકારી અનુરાગ પટેલે એક અનોખી પહેલ શરુ કરી છે. મતદાન જાગૃકતા માટે ગંગામાં 500 નાવડીઓ પર દરેક વર્ગના અઢી હજાર લોકો પાસે મતદાન કરવાની અપીલ કરી છે. ગંગામાં નાવડીઓને જોવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી રહી છે. નાવડીઓથી ગંગા નદીનો નજારો ખુબ જ આકર્ષક લાગી રહ્યો છે. નાવડીઓને સુરક્ષા આધાર પર 10 ઝોન અને 40 સેક્ટરમાં વહેંચવામાં આવી આ પહેલા ડીએમે નવરાત્રીના પહેલા જ દિવસે દરેક બૂથના હિસાબે કળશ યાત્રા કાઢી હતી.
મતદાન જાગૃકતા માટે નીકળેલી યાત્રા વિંધ્યાચલના પક્કા ઘાટથી રવાના થઇ. પક્કા ઘાટથી ડીએમ અનુરાગ પટેલ, સીડીઓ પ્રિયંકા નિરંજન, એસપી અમિત કુમારે નાવડીઓને રવાના કરી. વિંધ્યાચલથી નીકળેલી આ યાત્રા અલગ અલગ ઘાટોથી થઈને નગરના નારઘાટ પર પુરીં થઇ. આ દરમિયાન ઘાટો પર લોકો તેને જોવા માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા.