મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

પુલવામા ખાતે શહિદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી અર્પૂ છુઃ CRPFની ટીમ સુરક્ષા માટે પહેલી પસંદ

CRPFની ૮૦મી વાર્ષિક પરેડ યોજાઈઃ અજીત ડોભાલ થયા સામેલ

ગુરૂગ્રામમાં સીઆરપીએફના ૮૦ મી વાર્ષિક પરેડમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ થયા હતા. તેમણે જણાવેલ કે દેશ માટે પુલવામા શહિદ થયેલા બહાદુર ૪૦ સીઆરપીએફ જવાનોને શ્રધ્ધાંજલી પાઠવું છુ. જયારે પણ કોઈ ટુકડીને મોકલવાની ચર્ચા હોય ત્યારે  હંમેશા સીઆરપીએફ પહેલી પસંદ હોય છે. આ વિશ્વાસ તેમણે વર્ષોની કાર્યસિધ્ધી દ્વારા મેળવ્યો છે. દેશનું નેતૃત્વ આતંકવાદ સામે લડવામાં સક્ષમ હોવાનું પણ તેમણે જણાવેલ. આ ઉપરાંત ડોભાલે સેનાએ પુલવામા આતંકી હુમલાનો બદલો પણ લીધો હોવાનું પણ જણાવેલ.

(4:01 pm IST)