News of Tuesday, 19th March 2019
આસામમાં લગભગ દોઢ લાખ મતદારો નહીં કરી શકે મતદાન
રોઇટરઃ ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી અનુસાર, આસામમાં લગભગ દોઢ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરી શકે. આસામમાં કુલ ૧.ર લાખ લોકો આગામી લોકસભા ચૂંટણીમાં મત નહીં આપી શકે કેમ કે તેમની 'ડી' (શંકાસ્પદ) મતદાર રૂપે ચિન્હીત કરાયા છે.
જો કે આસામના મુખ્ય ચૂંટણી અધિકારી મુકેશ ચંદ્રએ જણાવ્યું કે જે લોકો નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સ (સીએસકે)ના પ્રસ્તાવમાંથી બચી ગયા છે અને મતદાન યાદીમાં જો તેમના નામ હશે તો તેઓ મતદાન કરી શકશે.
(3:27 pm IST)