News of Tuesday, 19th February 2019
પુલવામાં હુમલામા શહીદ ર૩ સીઆરપીએફ જવાનોનું કર્જ માફ કરતી એસબીઆઇ
દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ જમ્મુ-કશ્મીરના પુલવામાં શહીદ થયેલ ર૩ સીઆરપીએફ જવાનો દ્વારા લેવામાં આવેલ કર્જને માફ કરવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત એસબીઆઇએ કહ્યુ છે કે આ હુમલામાં શહીદ થયેલ બધા જવાનોના પરીવારજનોને રૂ. ૩૦-૩૦ લાખની વિમા રાશી આપવામા આવશે. બધા સીઆરપીએફ જવાનો બેંકના ગ્રાહક હતા.
(11:48 pm IST)