મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની બદલી :સીઆઈડીમાં મુકાયા

રાજીવ કુમારના સ્થાને અનુજ કુમારને જવાબદારી સોંપાઈ

કોલકાતા :કોલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમારની બદલી કરી દેવામાં આવી છે. સૂત્રો મુજબ હવે આ જવાબદારી અનુજ શર્માને સોંપી દેવાઇ છે. જયારે રાજીવકુમારને રાજ્યની સીઆઇડીમાં મોકલી દેવાયા છે. અહીં તેઓ સીઆઇડીના એડીજી-ક્રાઇમની જવાબદારી આપવામાં આવી શકે છે

   અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના શારદા ચીટફંડ કૌભાંડમાં થોડા દિવસો અગાઉ સીબીઆઇએ રાજીવ કુમારની શિલોન્ગમાં પૂછપરછ કરી હતી. જે બાદ રાજીવ કુમારનું નામ ચર્ચામાં આવ્યું હતું. સીબીઆઇનું માનવું છે કે રાજીવ કુમાર ચીટફંડ મામલે પુરાવાને નષ્ટ કરવામાં સામેલ રહ્યા છે

(12:00 am IST)