મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

બોંબર આદિલ અલ કાયદા છોડીને જેશમાં આવ્યો હતો

સમગ્ર મામલામાં નવો ચોંકાવનારો ખુલાસો રાયો : જેશમાં સામેલ થતા પહેલા તે કટ્ટરપંથી બની ગયો હતો

નવી દિલ્હી,તા. ૧૮ : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરનાર આદિલ અહેમદ ડાર અલ કાયદા છોડીને જેશમાં સામેલ થયો હતો. હાલમાં ચાલી રહેલી તપાસમાં આ મુજબનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આદિલ અંગે માહિતી મળી છે કે તે તરત જ જેશમાં જોડાયો ન હતો. જ્યારે તે આ ત્રાસવાદી સંગઠનમાં સામેલ થયો તે પહેલા જ તે કટ્ટરપંથી બની ગયો હતો. તે પહેલા અલકાયદા સાથે જોડાયેલો હતો.જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલાને અંજામ આપનાર જૈશે મોહમ્મદના આત્ઘાતી બોંબર આદિલ અહેમદ દારને છેલ્લા બે વર્ષમાં છ વખત પકડી પાડવામાં આવ્યો હતો પરંતુ દરેક વખતે આદિલ અહેમદને કોઇપણ  પુરાવા વગર છેોડી મુકવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૬થી લઇને માર્ચ ૨૦૧૮ વચ્ચેના ગાળામાં છ વખત પથ્થરબાજી અને આતંકવાદી સંગઠન લશ્કરે તોઇબાની મદદના આરોપમાં તેને પકડી પાડવામાં આવ્યો હતો પરંતુ તેને છોડી મુકવામાં આવ્યો હતો. તેના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનોના મોત થયા છે.  આદિલે ૧૫૦ કિલો વિસ્ફોટક સાથે પોતાની કારને જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે ઉપર સીઆરપીએફની બસ સાથે ટકરાવી દીધી હતી જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આદિલે વર્ષ ૨૦૧૬માં એક ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામગીરી શરૂ કરી હતી. આદિલ લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓને છુપાવવાનું કામ કરતો હતો. આ ઉપરાંત તે લશ્કરી કમાન્ડરો અને તેમની સાથે જોડાવવાની ઇચ્છા રાખનાર સ્થાનિક લોકોની વચ્ચે મધ્યસ્થી માટેનું કામ કરતો હતો.   આદિલ કાશ્મીરથી સંચાલિત ઝાકીર મુસાના નેતૃત્વ વાળા અંસાર ગજવતનો સભ્ય હતો. આ સંગઠનના સંદર્ભમાં દાવો કરવામાં આવે છે કે તે અલકાયદા સાથે કનેકશન ધરાવે છે. જુલાઈ ૨૦૧૭માં તેનું અસ્તિત્વ આવ્યું હતું પરંતુ સુરક્ષા દળોએ મોટાભાગના સભ્યોને ઠાર મારી દીધા હતા. સૂત્રોનું કહેવું છે કે જ્યારે આદિલ ૨૦ વર્ષનો હતો ત્યારે અંસાર ગજવતમાં સામેલ થઈ ગયો હતો. ટુંક સમયમાં જ તે જૈશમાં સામેલ થયો હતો. કાશ્મીરમાં જૈશના લીડર મસૂદ અઝહર અને પોતાના ભાઈ મુફ્તી અબ્દુલ અઝગરના મામલામાં તપાસ ચાલી રહી છે.

(12:00 am IST)