News of Tuesday, 19th February 2019
UAE માં અબુ ધાબી તથા દુબઇ ખાતેના ભારતીય દૂતાવાસમાં વિશાળ સંખ્યામાં ભારતીય મૂળના નાગરિકો એકત્ર થયા : આતંકવાદનો ભોગ બનેલા CRPF જવાનોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી
દુબઇ : આતંકવાદ વિરુધ્ધ સમગ્ર વિશ્વમાં રોષ ભભૂકી રહ્યો છે.તાજેતરમાં 14 ફેબ્રુઆરીના રોજ જૈસ એ મહમ્મદના પાકિસ્તાનમાં અડ્ડો ધરાવતા આતંકીઓએ ભારતમાં આવેલા જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPF ના જવાનો ઉપર આત્મઘાતી હુમલો કરી 40 જવાનોને મોતને ઘાટ ઉતારતા ભારત ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયોએ પણ રોષ વ્યક્ત કર્યો છે.તથા શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.એટલું જ નહીં દરેક વિપરીત સંજોગોમાં તેઓ વતનની સાથે હોવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.જે મુજબ મુસ્લિમ રાષ્ટ્ર UAE માં વસતા તમામ ભારતીયોએ પણ એકત્ર થઇ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
(12:15 pm IST)