મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

સંસદ ભવનના પરિસરની કેન્ટીનમાં હવે સાંસદોને સબસિડી વાળું ભોજન નહીં મળે

સંસદની કેન્ટીનમાં સાંસદોના ભોજન પર આપવામાં આવતી સબસિડી પર રોક

નવી દિલ્હી : સંસદ ભવનના પરિસરની કેન્ટીનમાં હવે સાંસદોને સબસિડી વાળું ભોજન નહીં મળે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે કહ્યું કે, સંસદની કેન્ટીનમાં સાંસદોના ભોજન પર આપવામાં આવતી સબસિડી પર રોક લગાવવામાં આવી છે

 ઓમ બિરલાએ કહ્યું કે, સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી શરૂ થશે. સંસદ સત્ર દરમ્યાન રાજ્યસભાની કાર્યવાહી સવારે 9 કલાકથી બપોરના 2 કલાક સુધી ચાલશે. જ્યારે લોકસભાની કાર્યવાહી સાંજે 4 કલાકથી રાત્રીના 9 કલાક સુધી ચાલશે. આ દરમ્યાન શૂન્યકાળ અને પ્રશ્નકાળનું આયોજન કરવામાં આવશે.

(6:25 pm IST)