મુખ્ય સમાચાર
News of Saturday, 19th January 2019

રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે કેજરીવાલ સામે FIR દાખલ કરવા કોર્ટે આપી પરવાનગી

કેજરીવાલ સહિત AAPના કાર્યકર્તાઓએ ચૂંટણી ચિન્હ ઝાડુને ત્રિરંગાની સાથે લહેરાવ્યું હતું

નવી દિલ્હી :મધ્યપ્રદેશનાં સાગર જિલ્લાની એક કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ કથિત રીતે રાષ્ટ્રીય ધ્વજના અપમાન મુદ્દે ફરિયાદ દાખલ કરવા માટેની પરવાનગી આપી છે.

  કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પરવાનગી 5 વર્ષ જુના કેસમાં મળી ચુકી છે. રાજેન્દ્ર મિશ્રા નામનાં એક વ્યક્તિએ કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું હતું કે, 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કેજરીવાલ સહિત AAPના કાર્યકર્તાઓએ ચૂંટણી ચિન્હ ઝાડુને ત્રિરંગાની સાથે લહેરાવ્યું હતું

(10:11 pm IST)