News of Saturday, 19th January 2019
કર્ણાટકમાં અંતે ભાજપનું મિશન નિષ્ફળ જાહેર
બેંગલુરૂ : કર્ણાટક ભાજપના નેતા બી.એસ.યેદીયુરપ્પાએ જાહેર કર્યુ છે કે અમારા ધારાસભ્યો દિલ્હી નજીકના રિસોર્ટથી બેંગાલુરૂ પાછા ફરી રહ્યા છે. અમે હવે સમગ્ર રાજયનો પ્રવાસ કરશું અને દુષ્કાળનું સ્થિતિનું આંકલન કરશું. યેદીયુરપ્પાએ કહ્યું હતું કે અમે આ સરકારને કોઈપણ ભોગે અસ્થિર કરવા માગતા નથી. કોંગ્રેસ અને જનતાદળ એસ (કુમારસ્વામી) પક્ષોએ ચિંતા કરવાની જરૂર નથી.
(11:38 am IST)