એર ઇન્ડિયા સિનિયર સિટિઝન્સને પ૦ ટકા ડિસકાઉન્ટ આપશે
નાના બાળક સાથે પ્રવાસ કરી રહેલા વરિષ્ઠ નાગરિકને ૧૦૦૦ રૂપિયાનું સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
નવી દિલ્હી તા.૧૯: એર ઇન્ડિયાએ વરિષ્ઠ નાગરિકોને વિશેષ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે. ૬૦ વર્ષથી વધુ વયના ભારતીય નાગરિકોને એર ઇન્ડિયાની વેબસાઇટ પરથી લીધેલી ઇકોનોમી કલાસની ટિકિટ પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે વરિષ્ઠ નાગરિકોએ અમુક જરૂરી વિગતો ભરવાની રહેેશે. ડિસ્કાઉન્ટ મેળવવા માગતી વ્યકિત ભારતના કોઇપણ હિસ્સામાં રહેતી હોય તેની પાસે સરકાર દ્વારા પ્રમાણિત સર્ટિફિકેટ હોવું જોઇએ. ફલાઇટની ટિકિટ પ્રવાસ માટે નિર્ધારિત દિવસના પહેલાનાં સાત દિવસ સુધીમાં એર ઇન્ડિયાની વેબસાઇટ પરથી ખરીદવી આવશ્યક છે. આ ઉપરાંત એક વધારાનો લાભ પણ એર ઇન્ડિયા તેના વરિષ્ઠ મુસાફરોને આપી રહી છે. નાના બાળકો સાથે પ્રવાસ કરી રહેલા વરિષ્ઠ નાગરિકોને ૧૦૦૦ રૂપિયાનું સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે