શ્રીલંકામાં આજે પણ રામાયણ સાથે જોડાયેલા અૈતિહાસિક સ્થળો ઉપલબ્ધઃ રાવણનું શબરૈગલા જંગલો વચ્ચેની ગુફામાં રખાયુ હતુ
નવરાત્રી બાદ દેશભરમાં ધામધૂમથી દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને સત્ય પર અસત્યની જીત મેળવી હતી. માન્યતા અનુસાર નવરાત્રીના દસમા દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો એટલે જ વિજયાદશમી મનાવવામાં આવે છે.
શ્રીલંકામાં રામાયણ સંબંધિત સ્થળો
શ્રીલંકામાં આજે પણ રામાયણ સાથે જોડાયેલા ઘણા ઐતિહાસિક સ્થળો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. શ્રીલંકામાં ઘણા એવા સ્થળો છે જે રામાયણ કાળની સાક્ષી પૂરે છે. જણાવી દઈએ કે, રિસર્ચમાં શ્રીલંકામાં એવા 50 સ્થળો મળી આવ્યા છે જેનો સંબંધ રામાયણ સાથે છે. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે રાવણનું શબ એક ગુફામાં રાખવામાં આવ્યું હતું. આ ગુફા શ્રીલંકાના રૈગલા જંગલો વચ્ચે આવેલી છે. શ્રીલંકાના ઈન્ટરનેશનલ રામાયાણ રિસર્ચ સેન્ટર અને ત્યાંના પર્યટન મંત્રાલયે મળીને આ રિસર્ચ કર્યું હતું.
ગુફામાં રખાયું હતું રાવણનું શબ
સૌ કોઈ જાણે છે કે, ભગવાન શ્રીરામ અને લંકાધિપતિ રાવણ વચ્ચે યુદ્ધ થયું ત્યારે રામના હાથે રાવણનો વધ થયો. રાવણના અંતિમસંસ્કાર માટે તેનો મૃતદેહ ભાઈ વિભિષણને સોંપવામાં આવ્યો હતો. વિભિષણને લંકાધિપતિ રાવણનો મૃતદેહ સોંપ્યા બાદ રાવણના અંતિમ સંસ્કાર થયા કે નહીં એ વાત કોઈ જાણતું નથી. દાવો કરવામાં આવે છે કે, અહીં રાવણની ગુફા છે જ્યાં તેણે તપસ્યા કરી હતી. કહેવાય છે આ જ ગુફામાં રાવણનું શબ આજે પણ સુરક્ષિત રાખવામાં આવ્યું છે. રૈગલા વિસ્તારમાં આ ગુફા 8 હજાર ફૂટની ઊંચાઈએ આવેલી છે.
શ્રીલંકામાં ‘સેતા એલિયા’
માન્યતા પ્રમાણે, અશોક વાટિકામાં રાવણે સીતા માતાને રાખ્યા હતા. આજે પણ આ જગ્યાને ‘સેતા એલિયા’ તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યા નૂવરા એલિયા નામની એક જગ્યા પાસે આવેલી છે. અહીં આજે પણ સીતાનું મંદિર છે અને નજીકમાં જ એક ઝરણું આવેલું છે. આ ઝરણાની આસપાસના પહાડો પર હનુમાનજીના પદચિન્હો પણ મળ્યા છે.