ત્રણે મૃતક સફાઈ કામદારોની વિધવાઓને 10-10 લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવો : બોમ્બે હાઇકોર્ટનો જિલ્લા કલેક્ટરને આદેશ
મેન્યુઅલ રીતે સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે ગૂંગળામણથી મૃત્યુ થયું હતું : કડક કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં આ શરમજનક પ્રથા ચાલુ છે : નામદાર કોર્ટનો આક્રોશ
મુંબઈ : મેન્યુઅલ રીતે સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે ગૂંગળામણથી મૃત્યુ પામનાર ત્રણ સફાઈ કામદારોની વિધવાઓને વળતર પેટે 10-10 લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવવા બોમ્બે હાઇકોર્ટે જિલ્લા કલેક્ટરને આદેશ કર્યો છે. નામદાર કોર્ટે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કડક કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં આ શરમજનક પ્રથા ચાલુ છે . અને તેનાથી સમાજના સામૂહિક અંતરાત્માને આઘાત લાગવો જોઈએ .
ન્યાયમૂર્તિઓ ઉજ્જલ ભૂયાન અને માધવ જમાદારની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને "મેન્યુઅલ સફાઈની શરમજનક પ્રથા" વહેલી તકે બંધ કરવાની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે.
કોર્ટ સફાઈ કર્મચારી આંદોલન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના અનુસંધાને વિધવાઓની વળતરની અરજી પર બોમ્બે હાઇકોર્ટ સુનાવણી કરી રહી હતી.
સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે તેમના પતિ મૃત્યુ પામ્યા હતા જે દર્શાવે છે કે મેન્યુઅલ સફાઈ કામદારો તરીકે રોજગાર પ્રતિબંધ અને તેમના પુનર્વસન અધિનિયમ (PEMSRA) ની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નથી, તેમની અરજી હાઇલાઇટ કરવામાં આવી છે.
એડવોકેટ ઈશા સિંહે દાખલ કરેલી અરજીમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે "મહારાષ્ટ્ર સરકાર તરફથી કાયદાના સખત ઉલ્લંઘનને કારણે, અરજદારોએ તેમના પ્રાથમિક રોજીરોટી ગુમાવી દીધી છે.
નામદાર કોર્ટે રાજ્ય સરકારને 18 ઓક્ટોબર, 2021 સુધીમાં માંગવામાં આવેલી માહિતી રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.