લાઇબેરિયાની રાજધાનીની ઇસ્લામિક સ્કૂલમાં લાગી ભયંકર આગ, 27 બાળકોના કરૂણમોત
બાળકો કૂરાન પઢી રહ્યા હતા ત્યારે જ શાળામાં અચાનક આગ લાગી
લાઇબેરિયાની રાજધાની મોનરોવિયાના ઇસ્લામિક સ્કૂલમાં ભીષણ આગ લાગી જવાથી લગભગ 27 બાળકોના મોત થઇ ગયા છે.
પોલીસ પ્રવક્તા મૂસા કાર્ટરએ જણાવ્યું કે, જ્યારે બાળકો કૂરાન પઢી રહ્યા હતા ત્યારે જ શાળામાં અચાનક આગ લાગી ગઇ. તેમણે જણાવ્યું કે, આ આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હતી અને જોતજોતામાં જ શાળામાં ફેલાઇ ગઇ. હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે.
, આ પહેલા પોલીસ પ્રવક્તા દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, આગના કારણે 30 બાળકોના મોત થઇ ગયા છે, જોકે, બાદમાં મરનારા લોકોનો 27 બતાવવામાં આવ્યો. તેમણે કહ્યું કે, બે બાળકોને ગંભીર રૂપે દાઝી જવાથી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ જોર્જએ ટ્વીટમાં મરનાર બાળકો પ્રત્યે સંવંદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ઘટનામાં મરેલા બાળકોના પરિવારજનો અને લાઇબેરિયા માટે આ દુખદ ઘટના છે.