મુખ્ય સમાચાર
News of Tuesday, 18th September 2018

ગેટવે ઓફ ઈન્‍ડિયા ખાતે કબૂતરને ચણ નાખવા પર પ્રતિબંધથી રોષની લાગણી

મુંબઈઃ વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ  મોદીએ ગયા શનિવારથી સ્‍વચ્‍છતા હી સેવા ઝુંબેશ શરૂ કરી છે અને તે બીજી ઓક્‍ટોબરે ગાંધી જયંતી સુધી ચાલશે. આ ઝુંબેશને કારણે મુંબઈના પ્રસિદ્ધ પર્યટન સ્‍થળ ગેટવે ઓફ ઈન્‍ડિયા ખાતેના કબૂતરખાના ખાતે પક્ષીઓને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્‍યો છે. એને કારણે જૈન સંસ્‍થાઓ નારાજ થઈ છે. જો પ્રતિબંધ ઉઠાવી લેવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે.

(11:40 am IST)