બળાત્કારના આરોપી ભાજપ નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ FIR નોંધવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ : પોલીસે એફઆઈઆર નોંધવામાં પણ સંપૂર્ણપણે નામરજી દર્શાવી છે : ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવા નામદાર કોર્ટનો હુકમ
ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના આરોપી ભાજપના નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે.તથા ટિપ્પણી કરી છે કે પોલીસ પાસે ખુલાસો કરવા માટે ઘણું બધું છે.
ન્યાયાધીશ આશા મેનને કહ્યું, "હાલના કેસમાં, પોલીસે એફઆઈઆર નોંધવામાં પણ સંપૂર્ણપણે નામરજી દર્શાવી છે.
દિલ્હી હાઈકોર્ટે બુધવારે આદેશ આપ્યો કે વિધાન પરિષદના ભાજપના સભ્ય સૈયદ શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદમાં ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધવામાં આવે [સૈયદ શાહનવાઝ હુસૈન વિરુદ્ધ રાજ્ય]
સિંગલ-જજ આશા મેનને નોંધ્યું હતું કે પોલીસ કમિશનરને મોકલવામાં આવેલી ફરિયાદની રસીદ પર એફઆઈઆર નોંધવામાં પોલીસે ઘણી નામરજી દર્શાવી હતી. ફરિયાદમાં સ્પષ્ટપણે બળાત્કારના નોંધનીય ગુનાનો ખુલાસો થયો હતો.
આ સાથે, અરજીને ફગાવી દેવામાં આવી હતી અને એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.