મુખ્ય સમાચાર
News of Sunday, 18th August 2019

કારગિલ યુદ્ધ લડનારા 15 જેટલા જવાનો ભારત જોડોના સંદેશ સાથે બાઈક પર સુરતમાં પહોંચ્યા

જવાનો 27 દિવસ બાઈક યાત્રાએ નીકળ્યા ;કારગિલ ચોકમાં ભવ્ય સ્વાગત

સુરત કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ યુદ્ધની વિજય ગાથા સંભળાવવા અને ભારત જોડોના સંદેશ સાથે 27 દિવસની યાત્રા પર નિકળેલા જવાનો સુરત પહોંચ્યા છે.

   કારગીલ યુદ્ધને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ યુદ્ધને લડનાર 15 જેટલા જવાનો બાઈકના પ્રવાસે નિકળ્યા છે. ત્યારે હવે આ જવાનોએ સુરતની મુલાકાત લીધી હતી. સુરતમાં આવેલા કારગિલ ચોકમાં પૂર્વ સૈનિકોએ બાઈક પર આવેલા જવાનોનું સ્વાગત કર્યુ. ભારત જોડોના સંદેશ સાથે જવાનો બાઈકના પ્રવાસે નિકળ્યા છે.

    બાઈક પર નિકળેલા જવાનોએ જલંધર, રજૌરી, દિલ્હીની મુલાકાત લીધી છે. ત્યારે આ જવાનોએ સુરતની મુલાકાત લીધી હતી. સુરતથી હવે આ જવાનો પુના જશે. આ જવાનો 27 દિવસ માટે બાઈક પ્રવાસ પર નિકળ્યા છે. મંગળવારે આ જવાનોનો પ્રવાસ પૂર્ણ થશે

(8:45 pm IST)