હવે ઘરની અંદર છીંકવા, ખાંસવાથી નહીં ફેલાય કોરોના : વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી ટેકનોલોજી
ખાંસી કે છીંક બાદ નિકળનારા ડ્રોપ્લેટ્સના પ્રસાર પર કાબૂ મેળવવામાં મદદરૂપ થશે આ પદાર્થ
નવી દિલ્હી,તા.૧૮: કોરોના વાયરસ ફેલાવાનું સૌથી મોટુ કારણ એરોસોલ અને ડ્રોપલેટ્સ હોય છે. જેને પહોંચી વળવા માટે અમેરિકન વૈજ્ઞાનિકે એક એવી ટેકનોલોજી વિકસાવી છે જેમાં ખાંસી અને છીંક વગેરેમાંથી નિકળતા ડ્રોપલેટ્સ હવે નહીં ફેલાય.
ડ્રોપલેટ્સને ફેલાતો રોકવા માટે આ પદાર્થનો કાચ જેવી જગ્યાઓ પર ઉપયોગ કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ દ્યરની દિવાલો પર લગાવવા માટે ચીકાશવાળા પદાર્થને વિકસિત કર્યો છે. જેના પર ખાંસી કે છીંક બાદ નિકળનારા ડ્રોપ્લેટ્સ ચોંટી જાય અને સાથે કોરોના પણ ચોંટી જાય. જેનાથી તેના પ્રસાર પર કાબૂ મેળવવામાં મદદ મળશે.
આને વિકસિત કરવા માટે વૈજ્ઞાનિકોએ હેર કન્ડિશનરમાં ઉપયોગમાં આવનારી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. આશા વ્યકત કરવામાં આવી રહી છે કે કોરોના અને અન્ય વાયુજિનત રોગોની વિરૂદ્ઘ લડાઈમાં આ ટકિનક એક હથિયાર બની જશે.
નોર્થ વેસ્ટર્ન યૂનિવર્સિટીના એન્જિનિયરિંગ પ્રોફેસર જિયાકિસંગ હુઆંગ આ વિષય પર લેખ લખ્યો છે. જેને બુધવારે કેમ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રોપલેટ્સ દરેક સમયે અંદરની સપાટી પર અથડાય છે. જયારે કોઈ સંક્રમિત વકિત બોલે કે છીંકે છે અથવા શ્વાસ લે છે તેમનાથી નીકળનારા ડ્રોપલેટ્સના માધ્યમથી કોરોના વાયરસ હવામાં ફેલાય છે અને બીજા વ્યકિતને સંક્રમિત કરે છે.
તેવામાં આને હટાવવાની એક માત્ર રીત બારી ખોલા અને હાઈ ફિલ્ટરેશન ઉપકરણોનો ઉપયોગ કરી સુક્ષમ કણોને પકડે છે અને ખતમ કરી દે છે. વૈજ્ઞાનિકોએ આ ચીકણા પદાર્થને બ્રથની સાથે દિવાલની સપાટી પર લગાવ્યું અને લીપેલા અને લીપ્યા વગરની સપાટીની સરખામણી કરવા માટે પરિક્ષણ કર્યુ. તેનું સારુ પરિણામ મળ્યું છે.