News of Tuesday, 18th June 2019
જમ્મુ-કાશ્મીરના પુલવામાના પોલીસ મથક પર ગ્રેનેડ હુમલો :આઠ સ્થાનિક લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો, આ હુમલામાં 8 સ્થાનિક નાગરિકો ઘાયલ થયાં હતા. ઘાયલ થયેલ તમામ લોકોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પુલવામામાં જ આતંકીઓએ સેનાના એક વાહન પર IED બ્લાસ્ટ કર્યો હતો. જ્યારે સેનાની 44 રાષ્ટ્રીય રાયફલ્સનું વાહન પુલવામાના અરિહલ ગામમાં થઇને અરિહલ-લસ્સીપુર રોડ પર જઇ રહ્યું હતું ત્યારે કરવામાં આવેલ. બ્લાસ્ટની આ ઘટનામાં 9 જવાનો ઘાયલ થયાં છે
(8:34 pm IST)