મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

ભારતીય સેનાને મોટી સફળતા મળી

પુલવામાનો બદલો પૂરો : જૈશ કમાન્ડર સજ્જાદ ભટ ઠાર

નવી દિલ્હી, તા. ૧૮ :  જમ્મુ કાશ્મીરના અનંતબાગમાં સુરક્ષા દળોએ બે આતંકીઓનો ઠાર કર્યો છે. એમાંથી એક એ પણ આતંકી સામેલ છે, જેની કારનો ઉપયોગ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા CRPF કાફલા પર હુમલામાં કરવામાં આવ્યો હતો.જમ્મુ કાશ્મીરના અનંતબાગમાં મંગળવારે સવારે સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. પુલવામા આતંકી હુમલાના મુખ્ય ષડયંત્ર રચનાર અને જૈશ કમાન્ડર સજ્જાદ ભટનો સુરક્ષાદળોએ ઠાર કર્યો છે.

લાંબા સમયથી એની શોધખોળ ચાલી રહી હતી. આ ઉપરાંત પુલવામા IED બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો પણ ઠાર કરવામાં આવ્યો છે. સુરક્ષાબળોનો દાવો એ છે કે આ પુલવામા હુમલામાં સામેલ છેલ્લો આતંકી હતો જેનો ઠાર કરવામાં આવ્યો છે.સેનાના સૂત્રો અનુસાર મંગળવાર સવારે અનંતબાગમાં થયેલા એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આંતકી સજ્જાદ બટનો ઠાર કર્યો છે. સજ્જાદ ભટ્ટની કારનો ઉપયોગ 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા સીઆરપીએફ કાફલા પર હુમલા માટે કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સૈનાએ બીજા એક આતંકીનો ઠાર કર્યો. મારવામાં આવેલા આતંકી સોમવારે એટલે કે 17 જૂને પુલવામામાં સેનાની ગાડીમાં થયેલા IED બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ હતો. હાલ સુરક્ષાબળોની તરફથી પુલવામા અને અનંતબાગમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

જણાવી દઇએ કે 14 ફેબ્રુઆરીએ પુલવામા આત્મદ્યાતી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના 40 થી વધારે જવાન શહીદ થઇ ગયા હતા. જમ્મુ કાશ્મીરના અત્યાર સુધીનો સૌથી ભયંકક આતંકવાદી હુમલામાં 14 ફેબ્રુઆરીએ એક આત્મદ્યાતી હુમલાવરે 200 કિલો વિસ્ફોટક ભરેલા એક વાહનને સીઆરપીએફની એક બસથી પુલવામા જિલ્લામાં શ્રીનગર જમ્મૂ રાજમાર્ગ પર અથડાવી દીધી હતી.

(3:30 pm IST)