News of Sunday, 17th June 2018
આઈએએસ ઓફિસરો અમારા પરિવારનો હિસ્સો છે તેઓને સુરક્ષા અપાવી અમારી જવાબદારી : મુખ્યમંત્રી કેજરીવાલ
ચૂંટાયેલી સરકારનો વિરોધ IAS ઓફિસર બંધ કરી દે : કામ પર પરત આવવા કરી અપીલ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આઈએએસ ઓફિસરોને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. કેજરીવાલે કહ્યું કે, આઈએએસ ઓફિસર અમારા પરિવારનો ભાગ છે. તેમને સુરક્ષા આપવી અમારી જવાદારી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કેચૂંટાયેલી સરકારનો વિરોધ આઈએએસ ઓફિસર બંધ કરી દે. આ પહેલા આપના નેતાઓએ પીએમ આવાસ સુધી માર્ચ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેને સંસદ માર્ગ પર રોકી દેવામાં આવ્યા હતા.
(1:07 am IST)