મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

યુ-ટ્યુબ દ્વારા દેશભરમાં કરોડો લોકો સુધી કોરોના અંગે અનેક માહિતીઓ પહોંચાડી જાગૃતિ લાવનાર ડો. કે. કે. અગ્રવાલનો જીવનદિપ કોરોનાએ બુઝાવ્યો

કોરોના વિશે યુ ટ્યુબની અનેક વિડિઓ કલીપ દ્વારા દેશના ૧૦  કરોડ લોકોને માહિતી આપનાર દેશના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના (IMAના) પૂર્વ અધ્યક્ષ પદ્મશ્રી ડો. કે. કે. અગ્રવાલ(ઉ.૬૨)નું કોરોનાથી નિધન થયું છે. તેઓ ગયા અઠવાડિયાથી વેન્ટિલેટર ઉપર હતા અને દિલ્હીની AIIMSમાં આખરી શ્વાસ લીધા..

(11:49 am IST)