નરેન્દ્રભાઈ કાલે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે: દુર્ગમ જોઝીલા સુરંગનો શિલાન્યાસ કરશે
સુરંગ બનતા શ્રીનગર-કારગિલ-લેહ વચ્ચે બારેય મહિના વાહન વ્યવહાર ચાલુ રહી શકશે
નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ કાલે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જશે જ્યાં તેઓ દુર્ગમ જોઝીલા સુરંગનો શિલાન્યાસ કરશે સુરંગ બનતા શ્રીનગર-કારગિલ-લેહ વચ્ચે બારેય મહિના વાહન વ્યવહાર ચાલુ રહી શકશે ૬૮૦૦ કરોડના ખર્ચે બનનારી એશિયાની સૌથી લાંબી આ સુરંગ દ્વારા બંને તરફ વાહન વ્યવહારની આધુનિક સુવિધા મળશે.
આ સુરંગ બાની જશે એટ્લે અત્યંત જોખમી જોઝીલા ઘાટ પસાર કરવામાં અત્યારે ૩.૩૦ કલાક લાગે છે તેની જગ્યાએ માત્ર ૧૫ મિનીટ લાગશે.અત્યારે જોઝીલા ઘાટનો રસ્તો ભારે બરફ પડવાને લીધે વર્ષમાં ૬ મહિના બંધ રહે છે.
નરેન્દ્રભાઈ કાલે ૩૮૦૦ કરોડના ખર્ચે થનાર જમ્મુ અને શ્રીનગરમાં રિંગ રોડ યોજનાનો શીલાનયાસ પણ કરશે.
કાલે લેહના જીવે-તસાલ ખાતે જોજીલા સુંરંગના કામકાજ પ્રારંભના કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપશે.
ઉપરાંત ગુરેજ ખાતે ૩૩૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરનાર કિશનગંગા વીજ પરીયોજના દેશને અર્પણ કરશે.