મુખ્ય સમાચાર
News of Friday, 18th May 2018

પત્રકાર સામે કુમાર સ્વામીનો ગુસ્સો આસમાને

ધારાસભ્યો કયાં છે?: આ સવાલથી કુમારે મગજ ગુમાવીને કહ્યું, મુર્ખ જેવા સવાલો ન પૂછો

નવી દિલ્હી તા.૧૮: કર્ણાટકમાં રાજનૈતિક ધમાલ ચાલી રહી છે ત્યારે ગઇકાલે ભાજપના સીએમ યેદિયુપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે અને હવે ૧૫ દિવસમાં બહુમત સાબિત કરવો પડશે. બીજીબાજુ કોંગ્રેસ અને જેડીએસ પોતાની કિલ્લેબંધીમાં લાગ્યા છે અને ભાજપને બહુમત મેળવવામાં રોકવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે પત્રકારોએ જયારે વાત કરીને જેડીએસનેતા  કુમારસ્વામી તે સમયે પત્રકારો પર ભડકી ગયા અને પત્રકારે પુછયું કે તેઓના વિધાયક કયાં છે? તો તેના સવાલ પર કુમાર સ્વામી એવી રીતે ભડકયા કે પત્રકારને કહ્યું કે તેઓને વાહયાત પ્રશ્નો કરવામાં આવે નહિ અને તેઓ દરેક પ્રશ્નના જવાબ આપવા માટે બંધાયેલા નથી કુમાર સ્વામીએ કહ્યું કે ભાજપ અને કેન્દ્ર સરકાર વિદ્યાયકોને ખરીદવાના પ્રયત્નો કરી રહ્યા છે બીજી બાજુ રાજયપાલ પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરીને નિયમોનું પાલન કર્યુ નથી રાજયપાલે બહુમત ન હોવા છતા ભાજપને સરકાર બનાવા માટે આમંત્રણ આપ્યુ.

(1:10 pm IST)