ભાજપ નેતાઓ સાવધ રહેઃ રૂપલલનાઓ દ્વારા ફસાવવા દાવ ફેંકાયો ?
૨-૪ મહિનામાં જ દેશમાં મોટાપાયે અંધાધૂંધી સર્જવા હિલચાલ ?
જાણીતા ડેટા એનાલીસ્ટ ડો. જી. પ્રધાને ટ્વીટ કરી જબરો વિસ્ફોટ સર્જયો છે. તેમણે ટ્વીટર ઉપર જાહેર કર્યુ છે કે, હાઈ સોસાયટીની કોલગર્લ્સ દ્વારા ટોચના ભાજપ નેતાઓ, તમામ પ્રધાનો અને સંઘના સિનીયર નેતાઓને હનીટ્રેપમાં ફસાવવા તથા સ્ટીંગ ઓપરેશનો માટે કારસો ઘડાયો હોય સાવચેત રહે. તેમણે કોંગ્રેસનું નામ લીધા વિના કોઈ 'રાજકુમાર' સાથે આ લલનાએ ગુફતગુ કર્યાના નિર્દેશ પણ આપ્યા છે.
તેમણે પોતાના વિસ્ફોટક ટ્વીટ દ્વારા કહ્યુ છે કે, બેંગકોકમાં (ભાજપના ટોચના વિપક્ષના નામના ઉલ્લેખ વિના) ટૂંક સમયમાં ખૂંખાર પાકિસ્તાની જાસૂસ 'નોમી' બૈંગન કા ભરથા અને 'નામદાર' સાથે મુલાકાત થઈ રહ્યાના ચોંકાવનારા નિર્દેશો આપ્યા છે. શ્રી જી. પ્રધાને લખ્યુ છે કે એકવાર મોદીનો કાંટો કાઢી નખાય તો રાષ્ટ્ર આખું ભડકે બળે. ભલે લશ્કર તેના હાથમાં સત્તા સંભાળી લ્યે. પછીથી લશ્કરમાં રહેલા માણસો દ્વારા રાજા-રજવાડાની જેમ ૧૦ જનપથથી ધુરા ચલાવાય તેવો આઇડિયા છે.
ડો. જી પ્રધાન લખે છે કે, આવતા ૨ થી ૪ મહિનામાં પ્લાનીંગ મુજબ ભારતમાં મોટાપાયે અંધાધૂંધી સર્જવામાં આવશે. તેમણે લખ્યુ છ ેકે, ભારતની સ્થિતિને પાકિસ્તાનની સ્થિતિ સાથે સરખાવવાનું પગલુ મૂર્ખામીભર્યુ નથી, તેની પાછળ હેતુ છે અને પાકિસ્તાન ઉગારશે તેવી ગણત્રી બોલનારની છે