News of Sunday, 18th April 2021
સમગ્ર બિહારમાં રાત્રી કર્ફ્યુ : દુકાનો સાંજે ૬ પછી ખૂલી નહીં રહે : ૧૫મી મે સુધી સિનેમા બગીચા અને મોલ બંધ : નીતીશકુમારની જાહેરાત
નીતીશકુમારે બિહારમાં રાત્રી કર્ફ્યુ લાદી દીધો. બિહારમાં રોકેટ ગતીથી કેશો વધવા લાગતા સમગ્ર બિહારમાં મુખ્યમંત્રી નીતીશકુમારે રાત્રે ૯ થી સવારે ૫ સુધીનો નાઈટ કર્ફ્યુ લાદી દીધો છે. આ ઉપરાંત દુકાનો સંસ્થાઓ સાંજે છ પછી ખુલ્લી રાખી શકાશે નહીં. ૧૫મી સુધી સિનેમા હોલ જીમ અને બગીચાઓ બંધ રહેશે.
(8:14 pm IST)