News of Monday, 18th March 2019
આવી હતી મનોહર પરીકરની સાદગીઃ જેના માટે લોકો યાદ કરશે
સાદગીનું બીજુ નામ હતું મનોહર પરીકર, તેઓ પોતાની સાદગી માટે જાણીતા હતા. મુખ્યમંત્રી હોવા છતા તેઓ કોમનમેન એટલે કે સામાન્ય માણસ જેવી જીંદગી જીવવાનું પસંદ કરતા હતા. તેઓ કયારેક ગોવામાં સાયકલ ઉપર નિકળી પડતા તો કયારેક સ્કૂટર પર ફરતા, તેઓ ટ્રેનમાં પણ સામાન્ય માણસની જેમ મુસાફરી કરતા અને કોઈ માટે લાઈનમાં પણ ઉભા રહી સામાન્ય માણસો સાથે ભળી જતા. સામાન્ય માણસ વચ્ચે જીવવાનું તેમને પસંદ હતું. તેમની નિષ્ઠા, પ્રમાણિકતા, ઈમાનદારી અન્યો માટે પ્રેરણાજનક હતી.
(11:28 am IST)