મુખ્ય સમાચાર
News of Tuesday, 18th February 2020

પાકિસ્તાનમાં હિંદુઓ ખુશ છે : કોઈ પરેશાની નથી :પાકિસ્તાની હિંદુઓને વિઝા આપવા ભારત સરકારે ઉદારતા દાખવી જોઈએ

-કરાચીના હિન્દૂ શ્રદ્ધાળુઓનું ગ્રુપ હરદ્વારમાં ગંગાસ્નાન અને મંદિરોના દર્શન કરવા પહોંચ્યું

 

કરાચી : પાકિસ્તાનના કરાંચીથી હિન્દૂ શ્રદ્ધાળુઓનું એક જૂથ હરિદ્વાર ગંગા સ્નાન અને મંદિરોના દર્શન કરવા પહોંચ્યું હતું,પાકિસ્તાનના શ્રદ્ધાળુઓનું કહેવું છે કે પાકિસ્તાનના હિંદુઓ પ્રત્યે વિઝા અપાવામાં ભારત સરકારે ઉદારતા દાખવવી જોઈએ,વિઝા માટે તેઓને થનાર મુશ્કેલીઓને ખતમ કરીને સરળીકરણ કરવું જોઈએ

  સીએએના સવાલ પર તેઓએ કહ્યુ કે માત્ર રાજકીય રમત ગણાવી તમામ શ્રદ્ધાળુઓએ કહ્યું કે પાકિસ્તાનમાં ખુબ ખુશ છીએ,તેઓને ત્યાં કોઈ પરેશાની નથી,સીએએ માત્ર રાજકીય રમત પ્રતીત થાય છે અમારે કોઈ લેવાદેવા નથી

(11:28 pm IST)