મુખ્ય સમાચાર
News of Tuesday, 18th January 2022

પંજાબમાં ભગવંત માન ‘આપ’ના સીઍમ ઉમેદવાર

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને ‘આપ’  પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલે આગામી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ)ના પંજાબ  માટે મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ભગવંત માનનું નામ જાહેર કયુ* છે.  તેમણે કહયું કે પંજાબની જનતાના મંતવ્ય મુજબ ભગવંત માનનું નામ ‘મુખ્યમંત્રીના ચહેરા’ તરીકે જાહેર કયુ* છે. તેમણે ગયા અઠવાડીયે ઍક ફોન નંબર જાહેર કરી પંજાબની ૩ કરોડની જનતાનું આ અંગે ‘મન’ જાણ્યુ હતું. કેજરીવાલે કહયું કે મારા તરફથી સીધું જા આ નામ જાહેર કર્યુ હોત તો મારા ઉપર ભાઇ-ભત્રીજાવાદ ચલાવ્યાનો આરોપ મુકવામાં આવત. ઍટલે જ પંજાબની પ્રજાનો મત મેળવી શ્રી ભગવંત માનનું નામ જાહેર કયુ છે

(12:58 pm IST)