મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

યુપી અને કર્ણાટકમાં કોરોનાની રસી લીધા પછી દેશમાં બેના મૃત્યુ થયા: એક મૃત્યુ સાથે કોરોના રસીને લેવાદેવા ન હોવાનું જાહેર

ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં કોવિડ-19 વેકસીન લીધા પછી બે વ્યક્તિના મૃત્યુ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જાહેર કર્યું છે કે ઉત્તર પ્રદેશના જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેને અને રસીકરણને કોઈ સંબંધ નથી. જ્યારે કોરોના રસી લીધા પછી મૃત્યુ પામેલ બીજી વ્યક્તિનું પોસ્ટ મોર્ટમ આજે થઈ રહ્યું છે.(ન્યુઝફર્સ્ટ)

(8:12 pm IST)