મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

ગોળી વાગવા છતાં દુલ્હન લગ્નમંડપમાં પહોંચી તમામ વિધિ પૂર્ણ કરી

દિલ્હીના શકરપુરની દુલ્હનને ગોળી વાગતા સારવાર બાદ ઘાયલ સ્થિતિમાં લગ્નવિધિ પુરી કરી

નવી દિલ્હી :દિલ્હીમાં લગ્ન મંડપમાં દુલ્હનની બહાદુરી જોવાઈ હતી તેને ગોળી વાગી હોવા છતાં તેણે સારવાર મેળવ્યા બાદ તુરંત લગ્ન મંડપમાં પહોંચી અને લગ્નની બાકી વિધિઓ પણ પૂર્ણ કરી હતી  દિલ્હીના શકરપુરના શિવ મંદિર ધામ પાસે રહેનારી પૂજાના ફુલ કારોબારી ભરત સાથે લગ્ન આયોજિત થયા હતા.

  ધર્મશાળામાં લગ્ન દરમિયાન જયમાળા પહેરાવવા વર-વધુ સ્ટેજ પર પહોચ્યા હતા. જોકે તે સમયે કોઈ શખ્સે ગોળી ચલાવી હતી. જે દુલ્હનના પગે વાગતા જ તે ઢળી પડી હતી.

  ગોળીબારમાં દુલ્હનને ગોળી વાગ્યા બાદ રસંગમાં દુઃખ છવાઈ ગયું. જોકે દુલ્હનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ તે ઘાયલ સ્થિતિમાં જ લગ્ન મંડપ પહોંચી અને લગ્નની તમામ વિધિ પૂર્ણ કરી હતી

 

(2:20 pm IST)