News of Monday, 17th December 2018
મધ્ય પ્રદેશમાં કમલનાથે કલાકોમાં જ ખેડૂતોના દેવામાફ કરતા જસદણમાં કોંગ્રેસે ફટાકડા ફોડ્યા
અમે આપેલા વચનો પાળીએ છીએ, ભાજપની જેમ જુમલાબાજી નથી કરતા;અમિત ચાવડા
જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે સોમવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર કમલનાથે આડકતરી રીતે જસદણ ખાતે કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં જોશ ભરી દીધું હતું. શપથવિધિ થયા પછીની ગણતરીની કલાકોમાં જ રાજ્યની ચૂંટણી વેળાએ કોંગ્રેસે આપેલા વચન પ્રમાણે ખેડૂતોના દેવા માફ કર્યા તેનો ઉત્સવ જસદણ ખાતે ફટાકડા ફોડીને ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું હતું કે, 'અમે આપેલા વચનો પાળીએ છીએ, ભાજપની જેમ જુમલાબાજી નથી કરતા
(10:40 pm IST)