મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

સીમા ઉપર ૩૦૦ આતંકવાદીઓ લોન્ચીંગ પેડ સાથે હાજરઃ બીએસએફના ઇન્સ્પેકટર જનરલ રાજેશ મિશ્રાનો ધડાકો

નવી દિલ્હી : ભારતીય સેનાએ એલઓસી ઉપર પાકિસ્તાનની ઘુસણખોરીને નિષ્ફળ બનાવી દીધી હતી. બીએસએફના ઇન્સ્પેકટર જનરલ રાજેશ મિશ્રાએ કહયું કે હજુ પણ સીમા નજીક પાકિસ્તાનના રપ૦ થી ૩૦૦ આતંકવાદીઓ લોન્ચીંગ પેડ સાથે મોજુદ છે. જે ભારતમાં ઘુષણખોરી કરવા માંગે છે.

પાકિસ્તાન ફરી એક વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. જેમાં સૈનિકો સહિત અનેક નાગરીકોને પણ ઇજાઓ પહોંચી હતી. તેઓની મિલ્કતોને પણ નુકસાન પહોંચ્યું હતું. ત્રણ સૈનિકોના પણ મૃત્યુ નિપજયા હતાં.

(2:01 pm IST)