મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

ભાજપ કરતા સુશીલ મોદી નીતીશકુમારના ચમચા બની ગયા હતા એટલે તેમને તગેડી મૂકાયા : લાલુપ્રસાદ યાદવના પક્ષના નેતાના આકરા પ્રહારો

લાલુપ્રસાદ યાદવના આરજેડી પક્ષના નેતા શિવાનંદ તિવારીએ ભારતીય જનતા પક્ષના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને બિહાર ભાજપના દિગ્ગજ નેતા સુશીલ મોદી ઉપર પ્રહારો કરતા જણાવ્યુ હતું કે સુશીલ મોદી ભાજપ કરતા વધુ જેડીયુના નિતીશકુમારના સાથીદાર બની ગયા હતા : મને લાગે છે કે આ જ કારણોસર ભાજપે તેમને આ વખતે પદ નહિં આપીને અલગ કરી દીધેલ છે : સુશીલ મોદી ભાજપના બીજા નેતાઓને આગળ વધવા દેતા ન હતા અને દરેક બાબતે દરરોજ નિવેદનો આપતા હતા ઉપરાંત ટીવી અને અખબારોમાં રોજ તેઓ મોઢું દેખાડતા રહેલ અને તેમના વિના રહી શકતા ન હતા : શિવાનંદ તિવારીએ કહ્યુ હતું કે સુશીલ મોદી સાથે મારે કોઈ દુશ્મની નથી તેઓ મારા નાના ભાઈની જેમ છે, પરંતુ તેમના વ્યકિતત્વમાં ઉંડાણ નથી : આ કારણોસર પણ ભાજપ નેતૃત્વએ તેમને બિહાર કેબીનેટમાં આ વખતે જગ્યા આપી નથી

(1:06 pm IST)