ભારતની વધુ એક સિદ્ધી : પહેલીવાર રાત્રે અગ્નિ-2 બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું :, 2000 કિમી સુધી મારક ક્ષમતા
સ્ટ્રેટેજિક ફોર્સેસ કમાન્ડ દ્વારા ઓડિસાના તટથી આ મિસાઈલનું પરીક્ષણ કરાયું
નવી દિલ્હી : ભારતના નામે વધુ એક સિદ્વી નોંઘાઈ છે. ભારતે બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2નું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિસાના બાલાસોરથી આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું છે
ભારતે પહેલી વખત આ મિસાઈલનું રાત્રે પરીક્ષણ કર્યું છે. અગ્નિ-2 મિસાઈલ 2 હજાર કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. સ્ટ્રેટેજિક ફોર્સેસ કમાન્ડ દ્વારા ઓડિસાના તટથી આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું.છે
અબ્દુલ કલામ આઈલેન્ડના ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી સફળતાપૂર્વક તેનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. તેને ડીઆરડીઓની એડવાસન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરીએ તૈયાર કર્યું છે. આ મિસાઈલને ઇન્ટીગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવ્યા છે.
અત્રે ઉલેલ્ખનીય છે કે અગ્નિ-2' મિસાઈલ ભૂમિથી ભૂમિ પર પ્રહાર કરવા માટે સક્ષમ છે. જેની લંબાઈ આશરે 20 મીટર છે. જ્યારે વજન આશરે 17 ટનની આસપાસ છે અને તે 1 હજાર કિલોગ્રામ સુધી પેલોડ લઈ જવામાં સક્ષમ છે. બે સ્ટેજમાં પોતાનું લક્ષ્ય મેળવનારી આ મિસાઈલ સોલિડ ફ્યૂઅલથી ચાલે છે. આ મિસાઈલને DRDO દ્વારા તૈયાર કરવામાં આવી છે.